* નગર પ્રા. શિક્ષણ સમિતિ, ઉપલેટા. સ્નેહ મિલન કાર્યક્રમ ૨૦૧૧
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટાનું સ્નેહ મિલન કાર્યક્ર્મ 2011
આજરોજ તાલુકા શાળાના સભાખંડમાં ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા શહેર વિસ્તારની તમામ સરકારી પ્રા.શાળાના શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ, આ કાર્યક્રમનો દિપ પ્રાગટ્યથી પુર્વચેરમેન શ્રી દામજીભાઇ રામાણીએ મંગળ પ્રારંભ કર્યો.
આ સમારંભમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માજી ચેરમેન શ્રી નિતિનભાઇ અઘેરા, શ્રી નરશીભાઇ મુંગલપરા, શ્રી દામજીભાઇ રામાણી, હાલના ચેરમેન શ્રી રમણીકભાઇ લાડાણી વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકી તથા નગરપાલીકા પ્રમુખ શ્રીમતિ રાણીબેન ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ શ્રી રણુભા જાડેજા, શ્રી દાનાભાઇ ચંદ્રવાડિયા , શ્રી લાખાભાઇ ડાંગર, શ્રી નારણભાઇ સોજીત્રા, મામલતદાર શ્રી ધાંધલ સાહેબ ચિફ ઓફિસર શ્રી દવે સાહેબ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
સમારંભની શરૂઆત શાસનાધિકારી શ્રી આર. આર. જાડેજાએ ગત વર્ષ દરમિયાન શાળાઓએ કરેલ સિધ્ધિઓ અને વિકાસની રૂપરેખા આપતા જણાવ્યુ હતુ કે આપણી શાળાઓમાં શૈક્ષણિક ગુણવતાનું સ્તર સુધરતા નામાંકનમાં ૧૫% જેવી વૃધ્ધી થયેલ છે શહેર વિસ્તારની સાત શાળાઓ પૈકિ ત્રણ શાળાઓએ જીલ્લા કક્ષા સુધી વિજ્ઞાન – ગણિત પ્રદર્શનમાં અગ્ર ક્રમે આવેલ છે ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાનો ગ્રેડ સુધરતા B+ ગ્રેડમાં આવેલ ભારત વિકાસ પરિષદ ગુજરાત રાજ્યએ પાંચ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ બહુમાન કરેલ છે શાળામાં થયેલ નામાંકનનુ સ્થાયીકરણ થયેલ છે.
નગરપાલિકાના પ્રમુખશ્રી રાણીબેન ચંદ્રવાડિયાએ આ તકે શાળાઓમાં ઘટતી ભૌતિક સુવિધાની ઘટ પુરવા ખાત્રી આપેલ. મામલતદાર શ્રી ધાંધલ સાહેબ તથા ચિફ ઓફિસર શ્રી દવે સાહેબે તમામને સુભેક્ષા પાઠવેલ અન્ય ઉપસ્થીત આગેવાનો શ્રી નારણભાઇ સોજીત્રા, શ્રી દાનાભાઇ ચંદ્રવાડિયા, શ્રી લાખાભાઇ ડાંગર, શ્રી નરશીભાઇ મુંગલપરા વગેરેએ સરકારી શાળાઓની વિકાસ ગાથાને બિરદાવી હતી
કાર્યક્રમની આભારવિધી વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન દરબારગઢ પ્રા.શાળાના આચાર્ય શ્રી કિશોરભાઇ અજમેરાએ કર્યુ હતુ.
આજરોજ તાલુકા શાળાના સભાખંડમાં ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા શહેર વિસ્તારની તમામ સરકારી પ્રા.શાળાના શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ, આ કાર્યક્રમનો દિપ પ્રાગટ્યથી પુર્વચેરમેન શ્રી દામજીભાઇ રામાણીએ મંગળ પ્રારંભ કર્યો.
આ સમારંભમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માજી ચેરમેન શ્રી નિતિનભાઇ અઘેરા, શ્રી નરશીભાઇ મુંગલપરા, શ્રી દામજીભાઇ રામાણી, હાલના ચેરમેન શ્રી રમણીકભાઇ લાડાણી વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકી તથા નગરપાલીકા પ્રમુખ શ્રીમતિ રાણીબેન ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ શ્રી રણુભા જાડેજા, શ્રી દાનાભાઇ ચંદ્રવાડિયા , શ્રી લાખાભાઇ ડાંગર, શ્રી નારણભાઇ સોજીત્રા, મામલતદાર શ્રી ધાંધલ સાહેબ ચિફ ઓફિસર શ્રી દવે સાહેબ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
સમારંભની શરૂઆત શાસનાધિકારી શ્રી આર. આર. જાડેજાએ ગત વર્ષ દરમિયાન શાળાઓએ કરેલ સિધ્ધિઓ અને વિકાસની રૂપરેખા આપતા જણાવ્યુ હતુ કે આપણી શાળાઓમાં શૈક્ષણિક ગુણવતાનું સ્તર સુધરતા નામાંકનમાં ૧૫% જેવી વૃધ્ધી થયેલ છે શહેર વિસ્તારની સાત શાળાઓ પૈકિ ત્રણ શાળાઓએ જીલ્લા કક્ષા સુધી વિજ્ઞાન – ગણિત પ્રદર્શનમાં અગ્ર ક્રમે આવેલ છે ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાનો ગ્રેડ સુધરતા B+ ગ્રેડમાં આવેલ ભારત વિકાસ પરિષદ ગુજરાત રાજ્યએ પાંચ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ બહુમાન કરેલ છે શાળામાં થયેલ નામાંકનનુ સ્થાયીકરણ થયેલ છે.
નગરપાલિકાના પ્રમુખશ્રી રાણીબેન ચંદ્રવાડિયાએ આ તકે શાળાઓમાં ઘટતી ભૌતિક સુવિધાની ઘટ પુરવા ખાત્રી આપેલ. મામલતદાર શ્રી ધાંધલ સાહેબ તથા ચિફ ઓફિસર શ્રી દવે સાહેબે તમામને સુભેક્ષા પાઠવેલ અન્ય ઉપસ્થીત આગેવાનો શ્રી નારણભાઇ સોજીત્રા, શ્રી દાનાભાઇ ચંદ્રવાડિયા, શ્રી લાખાભાઇ ડાંગર, શ્રી નરશીભાઇ મુંગલપરા વગેરેએ સરકારી શાળાઓની વિકાસ ગાથાને બિરદાવી હતી
કાર્યક્રમની આભારવિધી વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન દરબારગઢ પ્રા.શાળાના આચાર્ય શ્રી કિશોરભાઇ અજમેરાએ કર્યુ હતુ.