_શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ
_સરકાર શ્રીના આરોગ્ય તપાસણી
કાર્યક્રમ અનુસાર આજરોજ દરબારગઢ પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં
આવેલ છે, જેમા મેડિકલ ઓફિસર ડો.ફળદુ સાહેબ તથા શ્રી કાપડી સાહેબે શાળાના ૧૫૦ બાળકોને
વ્યક્તિગત રીતે તપાસી કેટલાક બાળકોને વધુ સારવાર અર્થે રીફર કરેલ છે આ
કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાશનાધિકારી શ્રી આર.આર. જાડેજા સાહેબે
બાળકોને આરોગ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં
બાળકોના વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા. શાળાના શિક્ષકો શ્રી હરેશભાઇ પરમાર, શ્રી કલ્પીતભાઇ નથવાણી તથા
ભાવેશભાઇ સુવાએ આરોગ્ય ક્વિઝ કાર્યક્રમનુ આયોજન કરેલ, કાર્યક્ર્મ ના અંતે હાજર
તમામ બાળકોને આ શાળાના આચાર્ય શ્રી કિશોરભાઇ અજમેરા તરફથી તિથી ભોજન આપી મિષ્ટભોજન
કરાવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રી જાનકીબેન વેગડાએ કરેલ.
તારીખ: 17/11/2011
સ્થળ: શ્રી દરબારગઢ પ્રા.શાળા ઉપલેટા.
તારીખ: 17/11/2011
સ્થળ: શ્રી દરબારગઢ પ્રા.શાળા ઉપલેટા.
_નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટાનું
સ્નેહ મિલન કાર્યક્ર્મ અહેવાલ
આજરોજ
તાલુકા શાળાના સભાખંડમાં ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા શહેર વિસ્તારની તમામ સરકારી પ્રા.શાળાના શિક્ષકોનો
સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ,
આ કાર્યક્રમનો દિપ પ્રાગટ્યથી પુર્વચેરમેન
શ્રી દામજીભાઇ રામાણીએ મંગળ પ્રારંભ કર્યો.
આ સમારંભમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માજી ચેરમેન શ્રી નિતિનભાઇ અઘેરા, શ્રીનરશીભાઇ મુંગલપરા, શ્રી દામજીભાઇ રામાણી, હાલના ચેરમેન શ્રીરમણીકભાઇ લાડાણી વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકી તથા નગરપાલીકા પ્રમુખ શ્રીમતિ રાણીબેનચંદ્રવાડિયા, ઉપપ્રમુખ શ્રી રણુભાજાડેજા, શ્રી દાનાભાઇ ચંદ્રવાડિયા , શ્રીલાખાભાઇ ડાંગર,શ્રીનારણભાઇ સોજીત્રા, મામલતદાર શ્રી ધાંધલ સાહેબ ચિફ ઓફિસર શ્રી દવે સાહેબ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
સમારંભની શરૂઆત શાસનાધિકારી શ્રી આર. આર. જાડેજાએ ગત વર્ષ દરમિયાન શાળાઓએ કરેલ સિધ્ધિઓ અને વિકાસની રૂપરેખા આપતા જણાવ્યુ હતુ કે આપણી શાળાઓમાં શૈક્ષણિક ગુણવતાનું સ્તર સુધરતા નામાંકનમાં ૧૫% જેવી વૃધ્ધી થયેલ છે શહેર વિસ્તારની સાત શાળાઓ પૈકિ ત્રણ શાળાઓએ જીલ્લા કક્ષા સુધી વિજ્ઞાન – ગણિત પ્રદર્શનમાં અગ્ર ક્રમે આવેલ છે ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાનો ગ્રેડ સુધરતા B+ ગ્રેડમાં આવેલ ભારત વિકાસ પરિષદ ગુજરાત રાજ્યએ પાંચ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ બહુમાન કરેલ છે શાળામાં થયેલ નામાંકનનુ સ્થાયીકરણ થયેલ છે.
નગરપાલિકાના પ્રમુખશ્રી રાણીબેન ચંદ્રવાડિયાએ આ તકે શાળાઓમાં ઘટતી ભૌતિક સુવિધાની ઘટ પુરવા ખાત્રી આપેલ. મામલતદાર શ્રી ધાંધલ સાહેબ તથા ચિફ ઓફિસર શ્રી દવે સાહેબે તમામને સુભેક્ષા પાઠવેલ અન્ય ઉપસ્થીત આગેવાનો શ્રી નારણભાઇ સોજીત્રા, શ્રી દાનાભાઇ ચંદ્રવાડિયા, શ્રીલાખાભાઇ ડાંગર, શ્રીનરશીભાઇ મુંગલપરા વગેરેએ સરકારી શાળાઓની વિકાસ ગાથાને બિરદાવી હતી
કાર્યક્રમની આભારવિધી વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન દરબારગઢ પ્રા.શાળાના આચાર્ય શ્રી કિશોરભાઇ અજમેરાએ કર્યુ હતુ.
આ સમારંભમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માજી ચેરમેન શ્રી નિતિનભાઇ અઘેરા, શ્રીનરશીભાઇ મુંગલપરા, શ્રી દામજીભાઇ રામાણી, હાલના ચેરમેન શ્રીરમણીકભાઇ લાડાણી વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકી તથા નગરપાલીકા પ્રમુખ શ્રીમતિ રાણીબેનચંદ્રવાડિયા, ઉપપ્રમુખ શ્રી રણુભાજાડેજા, શ્રી દાનાભાઇ ચંદ્રવાડિયા , શ્રીલાખાભાઇ ડાંગર,શ્રીનારણભાઇ સોજીત્રા, મામલતદાર શ્રી ધાંધલ સાહેબ ચિફ ઓફિસર શ્રી દવે સાહેબ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
સમારંભની શરૂઆત શાસનાધિકારી શ્રી આર. આર. જાડેજાએ ગત વર્ષ દરમિયાન શાળાઓએ કરેલ સિધ્ધિઓ અને વિકાસની રૂપરેખા આપતા જણાવ્યુ હતુ કે આપણી શાળાઓમાં શૈક્ષણિક ગુણવતાનું સ્તર સુધરતા નામાંકનમાં ૧૫% જેવી વૃધ્ધી થયેલ છે શહેર વિસ્તારની સાત શાળાઓ પૈકિ ત્રણ શાળાઓએ જીલ્લા કક્ષા સુધી વિજ્ઞાન – ગણિત પ્રદર્શનમાં અગ્ર ક્રમે આવેલ છે ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાનો ગ્રેડ સુધરતા B+ ગ્રેડમાં આવેલ ભારત વિકાસ પરિષદ ગુજરાત રાજ્યએ પાંચ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ બહુમાન કરેલ છે શાળામાં થયેલ નામાંકનનુ સ્થાયીકરણ થયેલ છે.
નગરપાલિકાના પ્રમુખશ્રી રાણીબેન ચંદ્રવાડિયાએ આ તકે શાળાઓમાં ઘટતી ભૌતિક સુવિધાની ઘટ પુરવા ખાત્રી આપેલ. મામલતદાર શ્રી ધાંધલ સાહેબ તથા ચિફ ઓફિસર શ્રી દવે સાહેબે તમામને સુભેક્ષા પાઠવેલ અન્ય ઉપસ્થીત આગેવાનો શ્રી નારણભાઇ સોજીત્રા, શ્રી દાનાભાઇ ચંદ્રવાડિયા, શ્રીલાખાભાઇ ડાંગર, શ્રીનરશીભાઇ મુંગલપરા વગેરેએ સરકારી શાળાઓની વિકાસ ગાથાને બિરદાવી હતી
કાર્યક્રમની આભારવિધી વાઇસ ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન દરબારગઢ પ્રા.શાળાના આચાર્ય શ્રી કિશોરભાઇ અજમેરાએ કર્યુ હતુ.