_* શાળાનો ઇતિહાસ
ઉપલેટા શહેર વસ્યુ ત્યારથી આ શાળાનો પાયો મહારાજા ભગવતસિંહજીએ શિક્ષણ પ્રચારના ઉમદા વિચારને ફળીભૂત કરવાના આશયથી ઇ.સ.૧૮૬૯માં નખાયો હતો એ સમયે માત્ર ને માત્ર ગોંડલ સ્ટેટમાં કન્યા કેળવણી મફત અને ફરજિયાત હતી, જો કન્યા શાળાએ ન આવે તો એકઆનો દંડ સ્વરૂપે લેવામાં આવતો જેના પરથી મહારાજાની કેળવણી પ્રત્યેનુ વિઝન સમજી શકાય છે.
શાળાનુ ભવન દરબારગઢની વચ્ચે સુરક્ષિત જગ્યાએ નૈસર્ગિક વાતાવરણમાં મોજ નદીના તટ પર આવેલ છે સંપૂર્ણ હવા ઉજાસવાળા વિશાળ વર્ગખંડો આવેલા છે. આ શાળાને અવારા-નવાર પુનઃનિર્માણ કરી આજની જરૂરિયાત મુજબ બનાવેલ છે આજ સુધીમાં આ શાળામાં એક લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવેલ છે જે એક ઐતિહાસિક વિક્ર્મ સમાન છે.
દરેક માતા-પિતા તેના બાળકના ભવિષ્ય માટે ચિંતિત હોય છે. માતા-પિતા બાળક ના ઘડતર માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. શાળા થકી બાળક ને પાયાનું શિક્ષણ મળે છે. તેથી માતા-પિતા સારી શાળાની તપાસ કરી બાળકનું એડમીશન કરાવવા ઇચ્છતા હોય છે. શાળા એટલે ફકત સારું બિલ્ડીંગ કે ફકત પુસ્તક નું જ્ઞાન નહીં પણ વિવિધ પ્રવૃતિઓ થકી જ્ઞાન અને તેના થકી બાળકનો સર્વાંગી વિકાસ, શિસ્ત સાથે સુસંસ્કારનું સિંચન, બાળકની અંગત દેખરેખ, અદ્યતન ટેકનોલોજી દ્રારા ભાર વગરનુ ભણતર મળે તે જરૂરી છે આ બધી બાબતો બાળક ને ક્યાં મળી રહે તેવું માતા-પિતા હંમેશા વિચારતા હોય છે.
સરકારી શાળામાં હાલમાં તાલીમ પામેલા નવનિયુક્ત ગ્રેજ્યુએટ વિદ્યાસહાયકો દ્રારા આજ પ્રમાણે અત્યારે અમારી શાળાઓમાં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આજના યુજમાં શૈક્ષણિક સંસ્થાઓ એક વ્યાપારી પેઢીની જેમ વિસ્તરી રહ્યા છે જ્યારે તેની સામે સરકારી શાળઓમાં તેનાથી પણ વિશેષ સુવિધઓ મળી રહી છે પણ પ્રચારના અભાવે અને સરકારી નીસુગના કારણે ખરેખર લોકો છેતરાઇ રહ્યા છે
* મિશન
Ø ઉપલેટા શહેર વિસ્તાર ના બાળકો ને વિનામુલ્યે ખાનગી શાળાઓ કરતા પણ સારું શિક્ષણ મળી રહે.
Ø વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃતિઓ થકી ભારવગરનું શિક્ષણ મળે .
Ø ૬ થી ૧૪ વર્ષની વયજુથના તામામ બાળકો પ્રવેશ મેળવે.
Ø સુશિક્ષિત સમાજનું નિર્માણ થાય.
Ø અમારી પાસે આવતું બાળક સમાજને સોંપીએ ત્યારે એક સારો નાગરિક બને એવા અમારા પ્રયત્નો હોય છે.
Ø પછાત અને અતિપછાત વિદ્યાર્થીઓને પણ વિકાસની સમાન તક મળે.
શાળાનુ ભવન દરબારગઢની વચ્ચે સુરક્ષિત જગ્યાએ નૈસર્ગિક વાતાવરણમાં મોજ નદીના તટ પર આવેલ છે સંપૂર્ણ હવા ઉજાસવાળા વિશાળ વર્ગખંડો આવેલા છે. આ શાળાને અવારા-નવાર પુનઃનિર્માણ કરી આજની જરૂરિયાત મુજબ બનાવેલ છે આજ સુધીમાં આ શાળામાં એક લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવેલ છે જે એક ઐતિહાસિક વિક્ર્મ સમાન છે.
દરેક માતા-પિતા તેના બાળકના ભવિષ્ય માટે ચિંતિત હોય છે. માતા-પિતા બાળક ના ઘડતર માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. શાળા થકી બાળક ને પાયાનું શિક્ષણ મળે છે. તેથી માતા-પિતા સારી શાળાની તપાસ કરી બાળકનું એડમીશન કરાવવા ઇચ્છતા હોય છે. શાળા એટલે ફકત સારું બિલ્ડીંગ કે ફકત પુસ્તક નું જ્ઞાન નહીં પણ વિવિધ પ્રવૃતિઓ થકી જ્ઞાન અને તેના થકી બાળકનો સર્વાંગી વિકાસ, શિસ્ત સાથે સુસંસ્કારનું સિંચન, બાળકની અંગત દેખરેખ, અદ્યતન ટેકનોલોજી દ્રારા ભાર વગરનુ ભણતર મળે તે જરૂરી છે આ બધી બાબતો બાળક ને ક્યાં મળી રહે તેવું માતા-પિતા હંમેશા વિચારતા હોય છે.
સરકારી શાળામાં હાલમાં તાલીમ પામેલા નવનિયુક્ત ગ્રેજ્યુએટ વિદ્યાસહાયકો દ્રારા આજ પ્રમાણે અત્યારે અમારી શાળાઓમાં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આજના યુજમાં શૈક્ષણિક સંસ્થાઓ એક વ્યાપારી પેઢીની જેમ વિસ્તરી રહ્યા છે જ્યારે તેની સામે સરકારી શાળઓમાં તેનાથી પણ વિશેષ સુવિધઓ મળી રહી છે પણ પ્રચારના અભાવે અને સરકારી નીસુગના કારણે ખરેખર લોકો છેતરાઇ રહ્યા છે
* મિશન
Ø ઉપલેટા શહેર વિસ્તાર ના બાળકો ને વિનામુલ્યે ખાનગી શાળાઓ કરતા પણ સારું શિક્ષણ મળી રહે.
Ø વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃતિઓ થકી ભારવગરનું શિક્ષણ મળે .
Ø ૬ થી ૧૪ વર્ષની વયજુથના તામામ બાળકો પ્રવેશ મેળવે.
Ø સુશિક્ષિત સમાજનું નિર્માણ થાય.
Ø અમારી પાસે આવતું બાળક સમાજને સોંપીએ ત્યારે એક સારો નાગરિક બને એવા અમારા પ્રયત્નો હોય છે.
Ø પછાત અને અતિપછાત વિદ્યાર્થીઓને પણ વિકાસની સમાન તક મળે.